• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • 5 વર્ષમાં ગુજરાતમાં કરોડપતીની સંખ્યા થઈ ડબલ, 1 વર્ષમાં 4500 કરોડપતીઓ વધ્યા, તમે પણ બની શકો છો કરોડપતી..!

5 વર્ષમાં ગુજરાતમાં કરોડપતીની સંખ્યા થઈ ડબલ, 1 વર્ષમાં 4500 કરોડપતીઓ વધ્યા, તમે પણ બની શકો છો કરોડપતી..!

12:40 PM August 29, 2023 admin Share on WhatsApp



દેશમાં ગુજરાતીઓનો ફરી એકવાર ડંકો વાગ્યો છે. સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સીસ (CBDT)ના ડેટા અનુસાર, ગુજરાતમાં ફાનાન્સિઅલ વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૧ કરોડ કે તેથી વધુની વાર્ષિક આવક જાહેર કરનારા ‘કરોડપતિ' કરદાતાઓમાં ૪૯%નો વધારો જોવા મળ્‍યો છે. ૨૦૨૧માં રૂ. ૧ કરોડ કે તેથી વધુની કરપાત્ર આવક ધરાવતા ૯,૩૦૦ લોકોની સરખામણીમાં, ૨૦૨૨માં આ સંખ્‍યા ૪,૫૦૦ વધીને રેકોર્ડ ૧૪,૦૦૦ થઈ ગઈ છે એવું સત્તાવાર આંકડા દર્શાવે છે.

છેલ્લાં પાંચ વર્ષમાં કરોડપતિઓની સંખ્‍યા સૌથી વધુ હતી જે સમયગાળા દરમિયાન આ સંખ્‍યા ૭,૦૦૦ થી બમણી થઈને ૧૪,૦૦૦ થઈ ગઈ હતી, આવું ડેટા જણાવે છે. આ વધારો નોંધપાત્ર છે કારણ કે અગાઉના ચાર વર્ષોમાં રૂ. ૧ કરોડથી વધુ આવક ધરાવતા કરદાતાઓની સરેરાશ સંખ્‍યા ૮,૨૦૦ હતી. કોર્પોરેટ કેટેગરીમાં પણ ૧,૦૦૦ ‘કરોડપતિ'નો ઉમેરો થયો હતો કારણ કે સંખ્‍યા ૩,૭૦૦ થી વધીને ૪,૭૦૦ થઈ હતી, જે ૨૮ ટકાનો વધારો દર્શાવે છે.

નોન-કોર્પોરેટ કેટેગરીમાં ગુજરાતમાં એકંદર ટેક્‍સ બેઝ ૨૦૨૧-૨૨માં ૭૧.૨ લાખ કરદાતાઓથી ૪% વધીને ૨૦૨૨-૨૩માં ૭૩.૮ લાખ થયો છે. પાંચ વર્ષ પહેલા ૨૦૧૮માં કુલ ટેક્‍સ બેઝ ૬૨.૫ લાખ હતો.  ૯૪% કરદાતાઓએ ૧૦ લાખ રૂપિયાથી ઓછી આવક જાહેર કરી છે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાનો અહેવાલ જણાવે છે.

ડેટા દર્શાવે છે કે મોટા ભાગના ૯૪% કરદાતાઓએ રૂ.૧૦ લાખ સુધીની કરપાત્ર આવક જાહેર કરી છે. આ કેટેગરીમાં, કરદાતાઓની સંખ્‍યામાં ૨%નો વધારો થયો છે જયારે ૧૦ લાખ અને તેનાથી વધુ કરપાત્ર આવકની શ્રેણીઓમાં, ૩.૩૫ લાખથી ૪.૩૩ લાખ સુધીનો ૨૯ ટકાનો વધારો જોરદાર હતો. નિષ્‍ણાતોએ જણાવ્‍યું હતું કે વધુ કરપાત્ર આવક ધરાવતા લોકોની સંખ્‍યામાં વધારો થવા પાછળ અનેક કારણો જવાબદાર છે. GCCIના ડાયરેક્‍ટ ટેક્‍સ કમિટીના ચેરમેને જણાવ્‍યું હતું કે, "વર્ષોથી કોર્પોરેટ ટેક્‍સ ઓછો કરવામાં આવ્‍યો છે અને જીએસટીમાં પણ પરિવર્તન આવ્‍યું છે અને તે ઊંચા કોર્પોરેટ વળતર માટેનું મુખ્‍ય કારણ છે. વાર્ષિક માહિતી નિવેદન, જે શેરબજારની આવક પણ દર્શાવે છે. જે પણ વધુ આવકના વધુ રિટર્ન ભરવાનું એક કારણ છે."

ઇન્‍ટરનેશનલ ટેક્‍સ નિષ્‍ણાતે જણાવ્‍યું હતું કે આવકવેરા ચૂકવણી અને ફેસલેસ એસેસમેન્‍ટ સ્‍કીમમાં આઇટી હસ્‍તક્ષેપને કારણે ઉચ્‍ચ સ્‍તરની ચોકસાઇ અને પારદર્શિતાનું પાલન થયું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "કરદાતાઓની આ સંખ્‍યામાં વધારો મોટાભાગે કોર્પોરેટ એક્‍ઝિક્‍યુટિવ્‍સ, રોકાણકારો અને યુવા વ્‍યાવસાયિકો દ્વારા કરવામાં આવ્‍યો હતો જેઓ તેમની વધતી આવક જાહેર કરી રહ્યા છે."


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - National Gujarat Financial News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us